Speed Report | राजकोट लक्ष्मी नगर मे वाहनो मे तोडफोड करने वाले बदमाशो को पुलिस ने सीखाया सबक।
राजकोट के लक्ष्मी नगर इलाके मे दो दिन पहले सात रिक्षा ओर दो कार मे तोडफोड करने वाले सात बदमाशो को पुलिस ने दबोचा। घटना स्थल पर लोगो के बीच लेजाकर सीखाया सबक। #Rajkot #Gujarat #police https://www.youtube.com/watch?v=m4wtjTPMDKA
#SpeedReportNews #Seaplane #Ahmedabad #FiristFlight #PMMODI #WorldBestPlane #Gujartinews #Guajartnews
રાજ્યમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરી છે. આજે સી-પ્લેન ટેસ્ટિંગ માટે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું છે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન ગોવાથી કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. અહીં આવ્યા બાદ સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે.
આજે સી પ્લેન ટેસ્ટિંગ માટે ત્રણ વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યું હતું. આ સી-પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ આવ્યા હતા. લેન્ડિગ થયા બાદ સી-પ્લેનનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન સી-પ્લેને ફરી ઉાડાન ભરી હતી, ત્યાર બાદ ફરી લેન્ડ કરવામાં આવ્યું હતું.
PM મોદીના આગમનને લઈ રિવરફ્રન્ટ પર ચાંપતો બંદોબસ્ત
જેની વચ્ચે શહેર પોલીસે પણ સુરક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી છે. અમદાવા
...
https://www.youtube.com/watch?v=5Vk2IbejPK4
WATCH The moment when the DMU Train 74943 Stuck People Watching Dussehra Celebrations in Choura Bazar Near #Amritsar #Punjab
https://www.youtube.com/watch?v=KCJKo6hMnWo
#રાજકોટ #ગુજરાત #દાદા #દાદી #rajkot #gujarat #dada #dadi
અનુબંધન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોકો માટે રાજકોટમાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશનના સંચાલક નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પસંદગી મેળો માત્ર 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોકો માટે જ હતો. રાજકોટમાં 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર 350 પુરૂષ અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. છૂટાછેડા થયેલા, વિધૂર કે વિધવા હોય તેઓને નવા જીવનસાથી મળે હેતુથી આ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ ફાઉન્ડેશન દ્વારા 2012માં કર્ણાટકના ચંદ્રાકલાબેનનો સ્વયંવર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોક જોડાયા હતા. પરંતુ રાજકોટના રાજેન્દ્ર હિંમતલાલ ભટ્ટ (ઉ.67)ની ચંદ્રાકલાબેને પસંદગી કરી હતી અને બાદમાં ઘરઘરણું થયું હતું. રાજેન્દ્રભાઇની પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા હતા. બાદમાં આ ફાઉન્ડેશનનો સંપર્ક કરી બાયોડેટા મોકલ્યો હતો. જ્યારે ચંદ્રકલાબેન કુંવારા જ હતા અને રાજેન્દ્રભાઇ તેમના પહેલા પતિ છે. રાજેન્દ્રભાઇને પહેલા પત્ની થકી કોઇ સંતાન નહોતું. આજે રાજકોટમાં યોજાયેલા જીવનસાથી પસંદગી મેળામાં રાજેન્દ્રભાઇ અને ચંદ્રકલાબેન પણ હાજર રહ્યા હતા.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe
...
https://www.youtube.com/watch?v=kIk5SREc4ps